નવી દિલ્હી : બોલિવૂડના ખ્યાતનામ પ્રોડ્યુસર રાજકુમાર બડજાત્યાનું ગુરુવારે સવારે નિધન થઈ ગયું છે. રાજશ્રી પ્રોડક્શનના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ સમાચાર આપવામાં આવ્યા છે. રાજકુમાર બડજાત્યાનું બોલિવૂડમાં નોંધપાત્ર પ્રદાન છે. સલમાન ખાનને પ્રેમ તરીકે લોન્ચ કરવાનો શ્રૈય પણ તેમને જાય છે. તેમણે સલમાનને મેંને પ્યાર કિયાથી બ્રેક આપ્યો હતો અને સલમાન પણ બડજાત્યા પરિવારની બહુ નિકટ છે.
રાજશ્રી પ્રોડક્શનના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર આ દુખદ સમાચાર પોસ્ટ કરતા જણાવવામાં આવ્યું કે બહુ દુખ સાથે જણાવવું પડે છે કે સૂરજ બડજાત્યાના પિતા રાજકુમાર બડજાત્યાનું નિધન થઈ ગયું છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.
It is with profound grief that we mourn the loss of Raj Kumar Barjatya, father of Sooraj Barjatya. May his soul Rest In Peace. pic.twitter.com/DjVejWTDMX
— Rajshri (@rajshri) 21 February 2019
બોલિવૂડના ટ્રેડ એનાલિસ્ટ કોમલ નાહટાએ પણ ટ્વિટ પોસ્ટ કતરીને લખ્યું કે શ્રી રાજકુમાર બડજાત્યાનું નિધન આજના સૌથી શોકિંગ સમાચાર છે. હજી ગયા અઠવાડિયે જ મારી તેમની સાથે મુલાકાત થઈ હતી. તેમણે મારા અને મારા પરિવાર સાથે સારો સમય ગાળ્યો હતો. એ દરમિયાન તેઓ એકદમ સ્વસ્થ લાગતા હતા અને હવે તેઓ ચાલ્યા ગયા છે.
Terribly shocking news. Shri RajKumarBarjatya passed away some minutes back at RelianceHurkissondas Hospital. Can’t believe this. Met him just a week back at his Prabhadevi office. He spent so much time with me and my family. He looked perfectly alright then. And now, he’s gone!
— Komal Nahta (@KomalNahta) 21 February 2019
રાજકુમાર બડજાત્યાએ પ્રોડ્યુસર તરકે પ્રેમ રતન ધન પાયો, વિવાહ, હમ આપ કે હૈં કૌન તેમજ મેંને પ્યાર કિયા જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી હતી જે બોક્સઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. તેમની છેલ્લી ફિલ્મ હમ ચાર 15 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ હતી.
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે